જુનાગઢ તા.6
માણાવદરના મીતડી ગામે રહેતા બાલીબેન રમેશભાઈ સામાભાઈ સોલંકી (ઉ.35) સાથે 17 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ હોય બાલીબેને પ્રેમ લગ્ન દરમ્યાન તેમના માતા પિતા સાથે સમાધાન કરી લેવા બાબતે પતિ રમેશભાઈ સાથે અવારનવાર ઝઘડાઓ થતા હોય જે બાબતે લાગી આવતા બાલીબેન (ઉ.35)એ ગત તા.4-5-2024ની રાત્રીના ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. બનાવની તપાસ માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.
જીવડુ કરડતા મોત
જુનાગઢ એ ડીવીઝન હદના જમાલવાડી અશોક નર્સરીમાં રહેતા સલીમભાઈ હસનભાઈ શેખની 7 વર્ષની દિકરી તન્જીલાને ગત તા.4-5-2024ની રાત્રીના 9ના સુમારે કઈક ઝેરી જીવડુ કરડી જતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. એ ડીવીઝન પીએસઆઈ જે.આર. વાજાએ તપાસ હાથ ધરી છે.
બીમારીથી મોત
જુનાગઢ એ ડીવીઝનના છગન મામાની સોસાયટી વિસ્તારમાં એક અજાણી સ્ત્રી (ઉ.45)ને કોઈ બીમારી કારણે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં લઈ જતા જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નોંધાયાનું ડો. ઉપેશ પરમારે જાહેર કયુર્ં હતું. બનાવ ગઈકાલે તા.5-5ના રોજ બનાવા બનવા પામ્યો હતો. એ ડીવીઝન પીએસઆઈ વી.એલ. લકધીરે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy