શનિવારે પૂ.શ્રી રણછોડદાસ બાપુ આશ્રમનો 79માં વર્ષમાં મંગલ પ્રવેશ: વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો

Local | Rajkot | 08 May, 2024 | 04:20 PM
શનિવારે પતિતપાવન ભગવાનનું ષોડશોપચાર પૂજન, હોમાત્મક યજ્ઞ, સમૂહ આરતી: નીજ મંદિર હોલમાં 79 દીવડાની આરતી: રામચરિતમાનસજીના અખંડ પાઠ તથા રાત્રે આશ્રમને દીવડાથી સજાવાશે
સાંજ સમાચાર

રાજકોટ તા.8
 શ્રી રણછોડદાસજી બાપુ દ્વારા સન 11/05/1946માં સંસ્થાપિત શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ) પૂ.શ્રી સદગુરૂદેવ રણછોડદાસજી બાપુએ માનવ સેવાની જયોત હંમેશા પ્રજજવલિત રહે અને રામનામનો પ્રચાર થાય અને સમગ્ર માનવજાતને સેવા મળી રહે એ ઉદ્દેશ સાથે સદગુરૂ સદન ટ્રસ્ટ (પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમ), રાજકોટની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાપના દિવસ નિમિત્તે સમૂહ આરતી, અખંડ શ્રી રામાયણજી પાઠ દ્વારા ધાર્મિક રીતે ઉજવવામાં આવશે. તથા આશ્રમનાં સ્થાપના દિવસ નિમિતે જે પતિ પાવન ભગવાનનું જાપયજ્ઞ અનુષ્ઠાન ચાલી રહ્યું હતું, તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે, આ અનુષ્ઠાનમાં ભારતભરમાંથી લોકો જોડાયેલ હતા અને જાપ કરીને સહભાગી થયા હતા, પૂર્ણાહુતિ તા.11ના હોમાત્મક યજ્ઞ, પુજા દ્વારા કરવામાં આવશે.
 

જેમાં વહેલી સવારે 3-30થી 5 વાગ્યા સુધી પતિત પાવન ભગવાનનું ષોડશોપચાર પુજન તથા સવારે 5 વાગ્યે હોમાત્મક યજ્ઞનો પ્રારંભ, બીડું હોમવાનો સમય સવારે 9-30 વાગ્યા તથા આશ્રમનાં સ્થાપના દિવસ નિમિતે સમૂહ આરતી, નિજ મંદિર હોલમાં 10 વાગ્યે થશે.
 ડોકટર સ્ટાફ તથા ગુરૂભાઈ-બહેનો અને ગુરૂભાઈ-બહેનો દ્વારા નિજ મંદિર હોલમાં 79 આરતીનાં દિવ્ય શણગાર સાથે સમુહ આરતી સવારે 10 કલાકે કરવામાં આવશે તથા શ્રી રામચરિત માનસજીનાં અખંડ પાઠ, શ્રી ગુરૂમઢીમાં સવારે 6 વાગ્યે કરવામાં આવશે તથા રાત્રે 8 વાગ્યે આશ્રમને દિવડાઓના ઝગમગાટ કરવામાં આવશે તેમ ટ્રસ્ટી પ્રવીણભાઈ વસાણીએ જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj