રાજકોટ તા.17
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આગામી તા.19ના શુક્રવારથી તા.25ના ગુરૂવાર સુધી શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું શાસ્ત્રી શ્રી ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામીના વ્યાસાસને બાપા સીતારામ ચોક, મવડી રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. કથાનો સમય રાતના 8થી 11નો છે.
કથા અંતર્ગત તા.19ના શ્રી કૃષ્ણ પ્રાગટયોત્સવ ઉજવાશે. તા.20ના માખણ લીલા, તા.21મીના રવિવારે વૃંદાવન આગમન ઉત્સવ, તા.22ના ગોવર્ધન લીલા-અન્નકૂટ, તા.23મીના કંસ ઉધ્ધાર, તા.24મીના સુદામા ચરિત્ર તથા તા.25મીના મહિલા મંચનું આયોજન કરવામાં આવેલ છે.
કથા અંતર્ગત તા.20મીના શનિવારે રાત્રે 8 વાગ્યાથી નેત્ર તથા દંત રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તથા તા.21ના રવિવારે રાત્રે 8 વાગ્યાથી રકતદાન કેમ્પ યોજાશે.
રાજકોટ ગુરૂકુળના મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. ઉપરોકત ભાગવત કથામાં ગામો ગામથી સંતો પધારશે તેમજ મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહીને કથાનો રસાસ્વાદ માણશે તેમ નિલકંઠ ભગત, બાલુ ભગતે જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy