(વિનુભાઇ મેસવાણીયા)
માંગરોળ, તા. 16
માંગરોળના રહેવાસી સ્મિત મહેન્દ્ર ચામુડીયાની માલીકીની ફિશીંગ બોટ રાજ લક્ષ્મી માં માછીમારી માટે કામ કરતા ખલાસી જિગ્નેશ ઇશ્ર્વર નાયકા ગામ પેલાડ, બુહારી, જિલ્લો : તાપી, ગુજરાત ઓખા-પોરબંદરના દરિયામાં માછીમારી દરમિયાન ચાલુ બોટે તા.08-12-2023ના રોજ અકસ્માતે બોટમાંથી દરિયામાં પડી જતા ડૂબી ગયો હતો અને લાશ ન મળી આવતા તે દરિયામાં લાપતા બનેલ હતો અને આજ દિવસ સુધી તે લાપતા છે.
ભારત સરકારના નિયમ પ્રમાણે 7 વર્ષ સુધી લાપતા વ્યકિતને મરણ જાહેર કરી શકાતો નથી અને અન્ય વીમા કંપનીઓ પણ 7 વર્ષ સુધી વીમા રકમ ચુકવતી નથી. બોટ માલિક દ્વારા ICICI LOMBARD G.I.C. LTD જુનાગઢ, વીમા કંપનીમાં „ NISHTHA INSURANCE AND SAVING ADVISOR પોરબંદર ગીરીશ ખોરાવાની એજન્સી દ્વારા ખલાસીનો વીમો ઉતરાવેલ હતો. એજન્સી દ્વારા ખલાસી ના પરિવારને દાવાને લગતા ડોકયુમેન્ટ મેળવવામાં મદદરૂપ થઇ ડોકયુમેન્ટ વીમા કંપનીમાં જમા કરતા વીમા કંપનીએ ખલાસી ના પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ખલાસી જિજ્ઞેશ ઇશ્ર્વર નાયકાના વૃધ્ધ પિતા ઇશ્ર્વર નથુ નાયકાને રૂા.9,44,640 વીમા રકમ દાવાના ડોકયુમેન્ટ પૂરા કરતા એક જ મહિનામાં ચૂકવી આપેલ છે. જેથી ખલાસીના વૃધ્ધ પિતાને આર્થિક રીતે રાહત મળેલ છે. અને બોટ માલિકે વીમા એજન્સીની કાર્ય પ્રણાલીથી સંતોષ થતાં અન્ય બોટ માલીકને વીમા બાબતે અવગત કરી બોટના ખલાસીનો વીમો ઉતરાવવાનો સંદેશ આપેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy