જુનાગઢ, તા. 19
જુનાગઢ મનપા વિસ્તારમાં આવેલી જર્જરીત મિલ્કતોને ઉતારી લેવા અથવા તેને રીપેરીંગ કરવા જુનાગઢ મનપા દ્વારા તાકીદ કરવામાં આવી રહી છે. જેની નોટીસો પાઠવવામાં આવી રહી છે. જેમાં 10 દિવસનો સમયગાળો અપાયો છે. જો 10 દિવસમાં જર્જરીત બિલ્ડીંગો, મકાનો દુર કરવામાં નહીં આવે તો મનપા આવી મિલ્કતોને દુર કરશે અને તેનો ખર્ચ જે તે મિલ્કતધારકો પાસેથી વસુલ કરવામાં આવશે.
જુનાગઢ મનપા વિસ્તારમાં અસંખ્ય જર્જરીત ઇમારતો આવેલી છે. નોટીસમાં જણાવ્યા મુજબ આવી ભયજનક, જોખમી જર્જરીત બાંધકામો કે બાંધકામના ભાગોને જીપીએમસી એકટની જોગવાઇ મુજબ દુર કરવાના રહેશે. તેને રીપેરીંગ કરવાના રહેશે જે કામગીરી 10 દિવસમાં કરવાની રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો આવી જોખમી મિલ્કતો-બાંધકામો મનપા દ્વારા દુર કરાશે અને તેનો થતો તમામ ખર્ચ જે તે મિલ્કતધારકો જમીન, મકાન માલીક પાસેથી વસુલવામાં આવશે જેની નોટીસ દ્વારા જાણ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy