વિરપુર (જલારામ),તા.16
શ્રી ગાયત્રી મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ - વીરપુર દ્વારા વર્ષ દરમીયાન સ્વર્ગસ્થ પામેલ વીરપુર ગામના મૃતાત્મા ની શાંતી અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસ્થીઓ નું સામૂહિક વિસર્જન હરિદ્વાર ના વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર તેમજ હિંદુ શાસ્ત્રોક્ત વિધિ થી પવિત્ર માં ગંગા ના કિનારે વીસર્જિત કરવામાં આવેલ.
આ તકે ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ વઘાસિયા, રવી હોટેલ વીરપુર કાંતિભાઈ, પટેલ સમાજના વિઠ્ઠલભાઇ, પીયૂષભાઈ માલાણી, સ્વામી નારાયણ મંદિરના પૂજારી મનસુખભાઇ, પ્રવીણભાઈ વઘાસિયા, પ્રવીણભાઈ ગાજીપરા તથા સાધુ સમાજના અમરદાસ કાપડી, ભરતભાઈ જોશી, જે.પી. ગાજીપરા, ક્ષત્રીય સમાજના બલભદ્રસિંહ ચુડાસમા ખોડલધામ ના પુજારી જયવંત ત્રિવેદી તેમજ ગાયત્રી મહિલા મંડળ દ્વારા સ્વખર્ચે હરિદ્વાર જઈ સામુહિક અસ્થીઓનું વિસર્જન કરેલ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy