વેરાવળ, તા.17
વેરાવળમાં સિંધી સારસ્વત બ્રાહ્મણ મંડળ અને નવયુવક મંડળ દ્વારા સયુંકત ઉપક્રમે સતત 22 માં વર્ષે ચૈત્ર નવરાત્રિમાં માતાજીના જાગરણનું આયોજન કરાયેલ હતું.
વેરાવળમાં સિંધી સારસ્વત બ્રાહ્મણ મંડળ અને નવયુવક મંડળના સયુંકત ઉપક્રમે ચૈત્ર નવરાત્રી દરમિયાન છેલ્લા 21 વર્ષથી માતાજીના જાગરણનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ લીલાશાહ બાગ ખાતે માતાજીની ચોકી (જાગરણ) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતાજીની આરાધના સાથે મહુવાની મંડળીએ ભજનો અને માતાજીની સ્તુતિઓથી મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિંધી સારસ્વત બ્રાહ્મણ મંડળના પ્રમુખ રાજેશભાઈ શર્મા, નવયુવક મંડળ પ્રમુખ ચિરાગ શર્મા, ચંદ્રકાંતભાઈ શર્મા, મધુસૂદન લછાણી, ચેતનભાઈ શર્મા, વિનોદભાઈ શર્મા, ટોનીભાઈ મુલચંદાણી, મુકેશભાઈ શર્મા, વિનોદ લછાણી, ઇન્દુભાઈ શર્મા સહીતનાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત લોકોએ માતાજીની સમૂહ આરતી કરી જગતની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy