જોડીયા, તા. 16
જોડીયા તાલુકાના મેઘપર ગામે હંમેશા જાજરમાન અને સમાજ તથા લોક હિતાર્થના સેવા કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને સુરાપુરા શ્રી ભાયાબાપાના સાંનિધ્યમાં મેઘપર ગામની પાવન ભૂમિ ઉપર 43 વર્ષથી આયોજન થઇ રહ્યું છે. ગત વર્ષ શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરી ચુકાય છે. જયારે આ વર્ષ-2024માં 44મી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.
જેમાં વ્યાસપીઠ પર બિરાજમાન થઇ ગુજરાતના સુપ્રસિધ્ધ કથા વકતા યુવા ભાગવતાચાર્ય શાસ્ત્રી ઉદયભાઇ ભાનુપ્રસાદ ગોર બી.એ.(સંસ્કૃત) શ્રી ભાગવત વિદ્યાપીઠન-સોલા (અમદાવાદ) માનસ હનુમંત ધામ-નવા કટારીયા (કચ્છ) વ્યાસપીઠ પર બીરાજમાન થઇ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન આગામી ચૈત્ર વદ 8ને બુધવાર તા.1ને સવારે 9 કલાકે પોથી યાત્રા, ગણેશ પૂજન, માતાજીનું પૂજન કરવામાં આવશે કથા શ્રવણનો સમય સવારે 9 વાગ્યાથી બપોરના 1ર.30 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. આ કથા દરમિયાન દરરોજ બપોરે 1 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્ર વદ-14ને મંગળવાર તા. 7ના સાંજે 6 કલાકે કથા પૂર્ણાહુતિ કરવામાં આવશે.
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા દરમિયાન ભારત વર્ષના સંતો, મહંતો, બ્રહ્મર્ષિઓને આંમત્રીત કરાશે અને તેમના આશિર્વાદ મેળવાશે. આ કથા માત્ર સમસ્ત રાઠોડ પરિવારના પિતૃઓના મોક્ષાર્થ સાથે યોજાઇ રહી છે પણ તમામ સમાજના પિતૃઓના આત્માના શાંતિ અર્થે પણ આયોજન થાય છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા વિરામ તા.8 બુધવારના રાઠોડ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને સુરાપુરા શ્રી ભાયાબાપાના સાંનિધ્યમાં સવારે 6.4પ કલાકે પિતૃ શાંતિ યજ્ઞ અને બપોરે 12 કલાકે અભિજીત મુહૂર્તમાં બીડુ હોમવામાં આવશે. સાથોસાથ દરરોજ રાત્રીના ધુન મંડળ, ભજન, રાસ, ગરબા સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કથા રસપાનનો લાભ લેવા રાઠોડ પરિવારના હિતેશભાઇ રાઠોડે જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy