જુનાગઢ તા.23
મુળ છોટા ઉદેપુર હાલ ભેસાણ ચોકડી પાસેના લક્ષ્મી ઓઈલ મીલ ખાતે રહેતા પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટનામાં મૃતક મહિલાના પિતા તાલુકા પોલીસમાં તેમના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
છોટા ઉદેપુરના ચઠાવાડા ગામના રહીશ ચીમનભાઈ ગમલાભાઈ રાઠવાની પુત્રી શારદીબેન (ઉ.20)ના લગ્ન હાલ જુનાગઢ ભેંસાણ ચોકહી પાસેના લક્ષ્મી ઓઈલ મીલ ખાતે રહેતા મુળ છોટા ઉદયપુરના રહીશ કેશુ ધોળીયાભાઈ રાઠવા સાથે થયેલ હોય શારદીબેનનો પતિ કેશું દુ:ખ ત્રાસ આપી હેરાન પરેશાન કરતો હોય જેનાથી કંટાળી તેણીને મરવા મજબૂર કરતા ગત તા.16-4-24ની વહેલી સવારે 4.45 પહેલા કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત નોંધાયું હતું. પિતાની ફરિયાદના આધારે તાલુકા પીએસઆઈ જે.ડી.દેસાઈએ તપાસ હાથ ધરી છે.
આપઘાત
માણાવદરના ખાંભલા (સુલતાનાબાદ) ખાતે રહેતા અરવિંદભાઈ છગનભાઈ કનેરીયા (ઉ.61)ના પુત્ર ઉત્સવકુમાર અરવિંદભાઈ (ઉ.25) એ ગત તા.21-4-24ના રાત્રીના કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત નોંધાયું હતું. માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy