(હિતેશ ગોસાઈ)
જસદણ,તા.13
જસદણમાં ચાલતી રૂપારેલિયા પરિવારની ભાગવત કથામાં શુક્રવારે સવારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાએ ખાસ હાજરી આપી પ્રસંગની શોભા વધારી હતી આ અંગે અલ્પેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે પરષોત્તમભાઈ રૂપાલા અમર નિમંત્રણને ખાસ માન આપી તેઓ ડો. ભરતભાઈ બોઘરા મોહનભાઈ કુંડારિયા રામભાઇ મોકરિયા અને ભાજપના તમામ હોદ્દેદારો આગેવાનો સાથે આવી અમારાં પ્રસંગની શોભામાં વધારો કર્યો હતો મુખ્યત્વે તેમણે રાજકીય નહી પણ તેમણે પ્રાસંગિક પ્રવચન કરતા ભાવિકજનોએ પણ ધન્યતા અનુભવી હતી લોકોના કામોમાં મોખરે રેહતા અલ્પેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે અમારી કથા દરમિયાન હાજર રહેલાં ટોપ થી બોટમ સુધીના કાર્યકરો આગેવાનોનો આ તકે આભાર વ્યક્ત કરું છું ઉલ્લેખનીય છે કે જસદણ પંથકનાં પ્રવાસ દરમિયાન રૂપાલા ગેલ માતાજીના મંદિરએ દર્શન પણ કર્યાં હતાં આ ઉપરાંત વિરનગર જેવાં અનેક ગામોનો પ્રવાસ પણ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy