ઉના, તા.27
ગીરગઢડા ગામે આવેલ અનુસુચિત વિસ્તારમાં રહેતાં આશાસ્પદ અનુસુચિત યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ એક હોટલ નજીક નાળાની અંદર થી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે આ યુવક છેલ્લા ત્રણ દિવસ ગુમ થયેલ હોય અને તેમનાં પરીવાર દ્વારા શોધખોળ શરૂ હોય આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
પરીવારજનો એ તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતાં ગીરગઢડા પોલીસ દ્વારા લાશ કબજે કરી પી એમ માટે ખસેડીને તપાસ હાથ ધરી છે.
ગીરગઢડાનાં અનુસુચિત વિસ્તારમાં રહેતા વાલજીભાઈ રામભાઈ રાઠોડ ઊવ 40 ગત તારીખ 23 નાં રોજ કોઈ ને કહ્યા વગર ધરે થીનિક ળીજતાંતેનાં પરીવારજનો શોધ ખોળ કરતાં હતાં અને આ બાબતે પોલીસ માં ગુમ થયાની નોંધ પણ કરાવેલ હતી.
આશાસ્પદ અનુસુચિત યુવાન નો ગત રાત્રી ના કોહવાયેલી હાલત માં મૃતદેહ મળતાં ગીરગઢડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જગદીશ ડાંગર સહિત મોટીસંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો મૃતદેહ ને કબજે કરીને જામનગર ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવેલ છે.
ગીરગઢડા પોલીસ માં વાલજીભાઈ ગુમ થયા ની નોંધ કરાવયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા તારીખ 25 નાં રાત્રી નાં 11 વાગ્યાની આસપાસ ગીરગઢડા ઉના રોડ પર આવેલ ગીર કેસરી હોટેલ નજીક આવેલા નાળા નાં અંદર નાં ભાગે વાલજીભાઈ રાઠોડ નો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા તેમના પરિવારજનો ને જાણ કરતા તેઓ પણ પોહચી ગયા હતા.
બાદ માં આ મૃતદેહ ને ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં લાવતાં આ યુવાનનું મોત ક્યાં કારણોસર થયું છે તે અંગે ફોરેન્સિક લેબમાં લાશ પી. એમ. અર્થે મોકલવામાં આવેલ છે આ બાબતે પરીવાર જનો દ્વારા હત્યા અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ગીરગઢડા પી.એસ.આઇ. જગદીશભાઈ ડાંગર નો સંપર્ક કરતા હાલ આ બનાવ અંગે તપાસ શરૂ છે પી એમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy