(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26
મોરબી માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાનના શ્રમિકો કામ કરી રહ્યા છે ત્યારે તે શ્રમિકો પણ મતદાન કરી શકે તેના માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે જેથી કરીને મોરબી માર્કેટિંગ યાર્ડમાં તા 26 અને 27 એપ્રિલે બે દિવસ અનાજ વિભાગમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
મોરબી જિલ્લામાં રહેલા રાજસ્થાન વાસી શ્રમિકો 26 એપ્રિલે મતદાન કરી શકે તે માટે એક ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ 26-04-2024 ને શક્રવારના રોજ રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીનું મતદાન હોવાથી યાર્ડના શ્રમિકો રાજસ્થાન મતદાન કરવા જઈ શકે તે હેતુને ધ્યાનમાં રાખીને મોરબી માર્કેટીંગ યાર્ડમાં તા.26 અને 27 એમ બે દિવસ અનાજ વિભાગમાં હરરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવેલ છે.
તા.29 ને સોમવાર થી રાબેતા મુજબ હરરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવશે. જેની લાગતા-વળગતા સર્વે ભાઈઓએ નોંધ લેવી તેમજ ખેડૂતભાઈઓ એ બે દિવસ માલ લઈને ન આવવા પણ મોરબી માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy