રાજકોટ, તા.26
મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં આજે ગુજરાત હાઇકોર્ટે ફરી એક વખત ઓરેવા કંપનીની કામગીરીની આકરી ટીકા કરી હતી અને કંપની તમામ જવાબદારી બજાવવામાં નિષ્ફળ ગઇ હોવાનું જણાવીને કહ્યું હતું કે ઓરેવા અને તેના સંચાલકોને શંકાનો લાભ પણ ન મળે તેવી સ્થિતિ છે. હાઇકોર્ટે આ પુલ દુર્ઘટનાના પીડીતોને પુનર્વસન અંગેની સુનાવણી દરમ્યાન ઓરેવે બિન શરતી માફી માંગી હતી પરંતુ કોર્ટે જણાવ્યું કે તમારે આ દુર્ઘટનાના જે પીડિતો છે અથવા તો જે વિધવા અને બાળકો છે.
તેમને કાયમી મદદ અંગે વિચારવું જોઇએ, દુર્ઘટનામાં કંપનીનો દોષ છે અને તે ક્ષમાને યોગ્ય નથી. આ કોઇ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ પણ નથી. તમારે વધુ સારી કામગીરી કરવાની જરુર છે. આ દરમ્યાન દુર્ઘટનામાં એક યુવતીને મુંબઇમાં ફલેટ આપવા અંગે કરેલા સુચનમાં ઓરેવાના ધારાશાસ્ત્રીએ ફલેટ કરતાં કાંઇક ઓછુ આપશે તેવું જણાવતા હાઇકોર્ટે ફરી એક વખત જણાવ્યું કે તમે લોકો એસી ચેમ્બરમાં બેસીને વિચારો છો પરંતુ જે લોકો દુર્ઘટનાની પીડા ભોગવી રહ્યા છે તેમનું શું? તે કદી વિચારતા નથી. દુર્ઘટનાનો ભોગ બનેલી 23 -24 વર્ષની યુવતીને શારિરીક ક્ષતિ થઇ છે. ભારતમાં આ પ્રકારની ક્ષતિમાં લગ્ન પણ થતાં નથી તમારી નોકરી કોઇ ન સ્વીકારે તો તેનું કારણ જાણો અને બ્રીજ તુટ્યો હતો તેના કારણે તમારી છબી શું થઇ છે તે પણ જોવુ જોઇએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy