(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.19
જોડિયા તાલુકાના અંબાલા ગામે રહેતા નાથાલાલ છગનભાઈ સાવરીયા જાતે અનુ. જાતિ (63)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નાગદાન ઉર્ફે નટવરગીરી જેઠાભાઈ કુંભારવાડીયા રહે. મૂળ ફળસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ મોરબી તાલુકાના આમરણ ગામે બસ સ્ટેશનમાં રામાભાઇ ચા વાળાની હોટલ પાસે બેઠા હતા ત્યારે આરોપી ત્યાં પોતાનું બાઈક લઈને આવ્યો હતો અને એક વર્ષ પહેલા હનુમાનજી અને મહાદેવના મંદિરે આરોપી અસામાજિક પ્રવૃત્તિ કરતો હોય જેથી તેને ત્યાંથી કાઢેલો હતો જે બાબતનો ખાસ રાખીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને જાહેરમાં તેને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહ્યા હતા અને અપમાનિત કરીને ગાળો આપી હતી
બાદમાં લાકડી વડે માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ 323, 504, 506(2) તથા એટ્રોસીટી એકટ કલમ-3(1) (આર) (એસ), 3(2) (5-એ) તથા GP ACTકલમ-135 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy