સાવરકુંડલા,તા.4
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામ ખાતે સમસ્ત બાળધા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષર્થે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ ચાલી રહી છે જેમાં સાવરકુંડલા તાલુકા માંથી વિશાળ સંખ્યામાં હજારો શ્રોતાઓ ભાગવત શ્રવણ કરવા પધારી રહ્યાછે .
આ સંગીતમય શૈલીમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ ભાગવત પારાયણ કથા નું પૂજ્ય શાસ્ત્રીશ્રી શરદભાઈ વ્યાસ ધરમપુર વાળા રસપાન કરાવી રહ્યાછે કથા દરમિયાન શ્રીંપંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર અનંત વિભૂષિત પૂજ્ય જયઅંબાનંદ ગીરીજી આશિવર્ચન પાઠવવા ઉપસ્થિત રહયા હતા જેમના દ્વારા બાલધા પરિવાર ના વડીલ વિનુભાઈ, જ્યંતીભાઈ, ભગરીથભાઈ, દકુભાઈ બાલધા તેમજ વ્યાસપીઠ નું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા કથા દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય નુગેન્દ્રપ્રસાદ મહારાજ પણ આશિવચન પાઠવ્યા હતા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ અંતર્ગત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ, ગોવર્ધન મહોત્સવ, રૂકમણી વિવાહ વગરે ધાર્મિક કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવશે તેમજ કથા દરમિયાન સાત દિવસ સુધી સમગ્ર ભારતભર માંથી સંતો, મહંતો, મહામંડલેશ્વરો, કથાકારો, સામાજીક, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી કથા શ્રવણ નો લાભ લઈ રહ્યાછે આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ દિવાળી બા હાઈસ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસગરબા, સંગીત સંધ્યા, સંતવાણી, ભજન સંધ્યા, લોક સાહિત્ય, હાસ્ય કાર્યક્રમો યોજાશે.જેમાં પીઠવડી, નાના ઝીંઝુડા, મોટા ઝીંઝુડા, પીયાવા, સેંજળ, મેવસા, ધાર, ભેકરા, નાની વડાળ, ગણેશગઢ, ગાધકડા, અમૃતવેલ, મોલડી, સાવરકુંડલા વગેરે ગામો અને તાલુકાભર માંથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો કથા શ્રવણ કરવા પધારી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy