(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ, તા. 20
ગોંડલ શહેરની વસ્તી અને વ્યાપ પ્રતિ વર્ષ વધી રહ્યો હોય શહેરના જીવાદોરી સમાન વેરી તળાવ, આશાપુરા ડેમ અને સેતુબંધ ડેમ નાં ઉનાળાની શરૂઆતમાં જ તળિયા દેખાતા લગતા હોય શહેરમાં પાણી ની તંગી ન સર્જાય તે માટે ગોંડલ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા દ્વારા રાજ્ય સરકાર પાસે નર્મદાનાં નીરની માંગ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને રાજ્ય સરકારના નાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્મદાના નીર વેરી તળાવમાં ઠાલવી છલોછલ ભરી દેવામાં આવતા ભર ઉનાળે વેરીતળાવ ઓવરફલો થતા પાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, ઉપ પ્રમુખ પ્રતિનિધિ જેન્તીભાઇ સાટોડીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, વોટર વર્કસ શાખા ચેરમેન શૈલેષભાઈ રોકડ, નાગરિક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળિયા સહિતના આગેવાનો દ્વારા નર્મદાના નીર નાં વધામણાં કર્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy