નવીદિલ્હી,તા.4
હાલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાની પર્સનલ લાઈફ પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ભારતની ટી20 વર્લ્ડ કપ જીત પર નતાશાનુ મૌન દંપત્તિની છૂટાછેડાની ચર્ચાને ફરી હવા આપી રહી છે. નતાશાએ હાલમાં જ એક પોસ્ટ કરી યુઝર્સ અને ચાહકોને ફરી મૂંઝવણમાં મૂક્યા છે.
નતાશાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે ગુમ થઈ હોવાની વાત કહેતી નજરે ચડી છે. જેમાં તેણે કહ્યું કે, તે આ પુસ્તક વાંચવા માટે ઉત્સુક છે. કારણકે, આજે તેને વાંચવી તેના માટે અત્યંત જરૂરી છે. આથી હું મારી સાથે ગાડીમાં બાઈબલ લઈને આવી છું. અને તેને વાંચવા માંગુ છું.
વીડિયોમાં નતાશા કહે છે કે, ભગવાન હંમેશા તમારા કરતાં આગળ અને તમારી સાથે હોય છે. તે એક જ છે, જે તમારો સાથ ક્યારેય છોડશે નહીં અને તમને ક્યારેય તરછોડશે નહીં. આથી ડરવા અને નિરાશ થવાની જરૂર નથી. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ, નિરાશ, ઉદાસ અને પોતાને હારી ગયા હોય તેવુ માનીએ ત્યારે આપણે ભગવાન આપણી સાથે છે, તેવો દ્રઢ નિશ્ચય રાખવો જોઈએ.
આજે તમે કોઈપણ પરિસ્થિતિમાં હોવ, ભગવાન પહેલાંથી જ તે જાણે છે. નતાશાના આ પોસ્ટ પ્રકાશમાં આવ્યા બાદ યુઝર્સ ફરી પરેશાન થઈ ગયા છે. લોકો વિચારી રહ્યા છે કે, નતાશા આ પોસ્ટ મારફત કહેવા શું માંગે છે. નતાશાએ અગાઉ પણ આ પ્રકારના પોસ્ટ કરી તેના યુઝર્સને મૂંઝવણમાં મુક્યા હતા.
ઉલ્લેખનીય છે, નતાશાએ ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ અંગે કોઈ પોસ્ટ કરી નથી. તે સતત વિવિધ સ્ટોરી અપલોડ કરી રહી છે, પરંતુ તેણે ટીમ ઈન્ડિયાને જીત પર અભિનંદન પાઠવ્યા નથી, તેમજ તેના પતિ હાર્દિક વિશે કંઈ જ લખ્યુ નથી. જેના કારણે તે ટ્રોલિંગનો સામનો કરી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy