(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.8
અમરેલીનાં પાદર સમા નાના માચીયાળા નજીક આવેલ ઠેબી નદી ઉપરનો નેશનલ હાઈવે ઉપરનો પુલ ઘણા મહિનાઓથી અતિ બિસ્માર બન્યો છે પુલની રેલીંગ પડવાના વાંકે ઉભી હોય દરરોજ નાના-મોટા હજારો વાહનો તેમજ મહાકાય ટ્રક પણ પસાર થતાં હોય ગમે તે સમયે મોટો અકસ્માત થવાનો સતત ભય રહેતો હોય નેશનલ હાઈવે ઓર્થોરીટી વિભાગનાં અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયુ હોય તેવુ લાગી રહયું છે.
એક તરફ સતા પક્ષના આગેવાનો દિવસ-રાત વિકાસની વાતો કરી રહયા છે જિલ્લાનાં ગ્રામ્ય અને તાલુકા વિસ્તારનાં માર્ગો નો બિસ્માર બન્યા છે. પરંતુ આ તો નેશનલ હાઈવે ઉપરનો પુલ પણ બિસ્માર બન્યો હોય અને મહિનાઓથી તેની મરામત થતી ન હોય વિકાસની વાસ્તવીક અતી કરૂણાજનક છે.
અત્રેએ ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં બિસ્માર માર્ગોને લીધે દર વર્ષે 100થી પણ વધુ વ્યકિતઓનાં માર્ગ અકસ્માતમાં મોત થઈ રહૃાા છે.
પુલો ઉપરાંત માર્ગ બનાવટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ પણ ઉભી થતી હોય છે. દિશા સૂચક બોર્ડ, માર્ગમાં જરૂરી પટ્ટા લગાવાતા નથી, ભયજનક વળાંક પણ જોવા મળી રહૃાા છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ વાતાનુકુલિન કચેરીમાં બેઠા-બેઠા એસઓ જેવા વર્ગ-3નાં કર્મચારીનાં આધારે કામગીરી કરી
રહૃાાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy