ગોંડલ,તા.6
ભાયાસર ગામે ડાભી પરિવારનાં અજયભાઈ દ્વારા મેલડી માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવેલ છે.આવતીકાલે મંગળવારે વહેલી સવારે થાંભલી રોપણ માતાજીના સામૈયા મહાપ્રસાદ નવરંગા મંડપમાં મહંત શ્રી વશિષ્ઠનાથ બાપુ ભવનાથ આશ્રમ ભાયાસર ડાભી પરિવારનાં ભુવા રવજીભાઈ ડાભી પ્રવિણભાઈ ડાભી મનજીભાઈ બારૈયા વિઠ્ઠલભાઈ બારૈયા ભીમજીભાઈ તથા મનસુખભાઈ સહિતના આમંત્રિત ભુવાઓ રાવળ દેવ ભુપતભાઈ કમાણી તેમજ જયદેવભાઈ કમાણીના ડાકની દાંડીએ નવરંગા મંડપને શોભાવશે 24 કલાકનો નવરંગો મેલડી માતાજીના મંડપનુ થાંભલી વધાવવાનું મુહૂર્ત બુધવારે સવારે 6 કલાકે રાખેલ હોય આમંત્રિત ભુવા મહેમાનોને સમયસર પધારવા ખોડાભાઈ ડાભી.અજયભાઈ તેમજ વિજયભાઈ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy