(જીગ્નેશ ભટ્ટ દ્વારા)
મોરબી તા.18
મૂળ નેપાળના કાલીકોટના વતની અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલનગર સોસાયટીમાં ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ રૂમમાં રહેતો અને ત્યાં ચોકીદાર તરીકે કામ કરતો પરેક દુર્ગાભાઈ બીકે જાતે વિશ્વકર્મા (ઉમર 28) નામના નેપાળી યુવાને રૂમમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર રાખવા માટેના સ્ટેન્ડની લોખંડની એંગલ સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. ત્યારબાદ તેના મૃતદેહને તેના પત્ની પુષ્પાબેન પરેકભાઈ બીકે જાતે વિશ્ર્વકર્મા (ઉંમર વર્ષ 24) મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરએ જોઇ તપાસીના મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મૃતકના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાનને તા.16-4 ના રોજ રાત્રે મોબાઈલ ફોનમાં તેના પત્ની સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતે તેને લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની આગળની વધુ તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy