નવી દિલ્હી: પ.બંગાળની ચુંટણીમાં મુખ્ય મુદો બની ગયેલા સંદેશખાલી હિંસાના કેસમાં નવો વળાંક આવ્યો છે જે ત્રણ મહિલાઓએ તૃણમુલ કોંગ્રેસના નેતા શાહજહા શેખ સામે બળાત્કાર સહિતના આરોપ મુકયા હતા તેમાની એક મહિલાએ તૃણમુલ કોંગ્રેસના આ નેતા સામેના આરોપ પાછા ખેચી લીધા છે.
શાહજહા શેખ 55 દિવસ લાપતા રહ્યા બાદ આખરે હાઈકોર્ટના આદેશ બાદ તેની ધરપકડ શકય બની હતી અને ભાજપે આ હિંસાને તૃણમુલ કોંગ્રેસ સામે ચૂંટણીમાં મોટું હથિયાર બનાવ્યું હતું.
શાહજહાખાન હાલ સીબીઆઈ કસ્ટડીમાં પણ તે ત્રણમાંથી એક મહિલાએ યુટર્ન લીધો છે અને તેની સાથે કોઈ જાતીય અત્યાચાર કે દુવ્યવહાર થયો જ નહી હોવાનું અને ભાજપના લોકોએ આવીને કોરા કાગળ પર સહી કરાવી ગયાનું તથા નાણા આપવાની ખાતરી આપી હતી અને કોરા કાગળ પરની બોગસ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. હવે અદાલત તે મુદે શું વલણ દે છે તેના પર નજર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy