સુરતના પોલીટીકલ ડ્રામામાં હવે અંતિમ પડદો પણ પડી જશે

સુરતની બેઠક ભાજપને ભેટ આપનાર નિલેષ કુંભાણી કેસરીયા કરશે!

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Surat | 23 April, 2024 | 11:46 AM
♦ ઉમેદવારી રદ થયા બાદ જાહેરમાં નહી દેખાતા કુંભાણી અને તેમના ટેકેદારો સીધા કમલમમાં પ્રગટ થાય તેવી ચર્ચા: ગુરૂવારે કમળ પ્રવેશ
સાંજ સમાચાર

રાજકોટ:
ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પર હાઈવોલ્ટેજ ડ્રામા બાદ જે રીતે આ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણી અને તેના ડમી બન્નેના ફોર્મ રદ થયા અને બાદમાં એક બાદ એક અપક્ષોએ પણ પોતાના ઉમેદવારી પત્રકો પાછા ખેંચી લઈને ભાજપને બિનહરીફ થવાની ‘તક’ આપી તે બાદ હવે આ પ્રકરણમાં છેલ્લે ‘સીન’ આપી રહ્યો છે અને નિલેષ કુંભાણી અને તેના ટેકેદારો સાથે હવે આગામી એક બે દિવસ અને સંભવિત ગુરૂવારે ભાજપમાં જોડાઈ જશે તેવા સંકેત છે.

સુરત એપીસોડ બાદ નિલેષ કુંભાણી હવે જાહેરમાં આવ્યા નથી અને તેમના ઉમેદવારી ફોર્મમાં સહી કર્યા બાદ આ સહી અમારી નથી તેવા દાવો કરીને કુંભાણીની ઉમેદવારી જ રદ થાય તે નિશ્ચિત કરનાર તેમના નજીકના તમામ પણ ભાજપમાં જોડાઈ જશે તેવા સંકેત છે. 

શ્રી કુંભાણી પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયા હતા અને જાણીતા થયા હતા તથા બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા. પાટીદાર અનામત આંદોલનના ‘ચહેરો’ બનેલા હાર્દિક પટેલ તથા તેના સાથીદારો પણ જે રીતે હવે કોંગ્રેસ થઈને ભાજપમાં જોડાયા છે અને હાર્દિક પટેલ તો વિરમગામ બેઠક પર ભાજપની ટિકીટ પર ચુંટણી લડીને ધારાસભ્ય બન્યા છે.

તો હાલમાં જ આ આંદોલનના અન્ય અગ્રણીઓ અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવીયાએ પણ આમ આદમી પાર્ટી છોડી છે અને તેઓ પણ ટુંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા છે તેમાં નિલેષ કુંભાણી જો કેસરીયા કરે તો સુરતનો આખો ડ્રામા ફિકસ જ હતો તે નિશ્ચિત થઈ જશે.

કોંગ્રેસ હવે કાનુની લડત આપે તેવી શકયતા પણ નહીવત
આપણો રૂપીયો જ ‘ખોટો’ હોવાનો અફસોસ
રાજકોટ:

સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ ચુંટણી મુદે હવે કાનૂની જંગ સર્જાય તેવી શકયતા નહીવત છે. ગત સપ્તાહે આ ડ્રામા સર્જાયા બાદ સુરત ધસી ગયેલા કોંગ્રેસના સીનીયર ધારાશાસ્ત્રી બાબુભાઈ માંગુકીયાએ ટેકેદારોને શોધવા અને જીલ્લા કલેકટર સમક્ષ રજુ કરવા માટે સુરત પોલીસ સમક્ષ અપહરણની એફઆઈઆર નોંધાઈ હતી અને હેબીયર્સ કોર્પસ માટે હાઈકોર્ટે જવાની પણ જાહેરાત કરી હતી.

તો કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ છેક સુપ્રીમ કોર્ટ સુધી લડતની જાહેરાત કરી હતી પણ જે રીતે સમગ્ર પ્રકરણમાં પક્ષના ઉમેદવાર નિલેષ કુંભાણીની જ ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠયા અને તેઓએ પણ ‘લડત’ ના આપી પછી હવે કોંગ્રેસ પક્ષ તેના વતી પણ લડત આપે નહી તેવી ધારણા છે. હવે પરિણામ જાહેર થયુ છે અને કાનૂન મુજબ કોંગ્રેસ ચૂંટણી પ્રક્રિયાના પડકારતી લીવ પીટીશન પણ કરશે કે કેમ તે પ્રશ્ન છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj