જામનગર તા.15
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ના અનુસંધાને 12- જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના તમામ 5 વિધાનસભા મતદાર વિભાગો માટે કે જેમને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારીશ્રી તરફથી, ચૂંટણી અધિકારીશ્રી કે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલી છે.
તે પૈકી જે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીના અધિકાર મળેલા નથી તેવા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે સરકારશ્રીના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતિ અધિનિયમ-1973 ની કલમ- 21 હેઠળ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી તરીકેના અને આ અધિનિયમની કલમ- 44, 103, 104, 129 અને 144 ના અધિકારો મળવાપાત્ર થાય છે.
આ ઉપરાંત હાલમાં ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજકીય પક્ષો/ઉમેદવારો તરફથી કરવામાં આવતા ખર્ચ ઉપર દેખરેખ રાખી શકાય અને નિયંત્રણ જળવાય રહે તે હેતુથી ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. જેઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
તેમજ આ ટીમના સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ટીમોને તેમની કામગીરી એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં કરવાની રહે છે. પરંતુ હોદ્દાની રૂએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો ધરાવતા નાયબ મામલતદારના સંવર્ગના કર્મચારીઓની અન્ય ફરજો અને મર્યાદિત સંખ્યાને ધ્યાનમાં રાખતા આ ટીમો માટે અન્ય ખાતાના કર્મચારીઓ કે જેઓ હોદ્દાની રૂએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો ધરાવતા નથી તેઓની નિયુક્તિ કરવામાં આવી છે.
જેમાં ફ્લાઈંગ સ્ક્વોડના કર્મચારીઓ અને અધિકારીઓ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમના કર્મચારીઓ અને અધિકારીઓને તેઓ જે વિધાનસભા મતદાર વિભાગમાં નિયુકત થયેલા હોય તે વિસ્તારના કાર્યક્ષેત્રમાં લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ની આચારસંહિતા અમલમાં આવ્યાની તારીખ 16-03-2024 ના સાંજના કલાક 17:00 થી આગામી તારીખ 07-05-2024 ના રોજ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટશ્રી તરીકેના અધિકારો ભોગવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.કે.પંડ્યા, જામનગર દ્વારા અધિકૃત કરવામાં આવે છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે નિર્ધારિત કરવામાં આવેલા ફ્લાઈંગ સ્ક્વોડમાં નિયુક્ત થયેલા સભ્યોની યાદી આ મુજબ છે. જેમાં 76- કાલાવડ વિસ્તાર માટે શ્રી વી.જે.રોજીયા, શ્રી એમ.પી.ઝવેરી અને શ્રી એસ.જે.કેરાળીયા રહેશે. 77- જામનગર ગ્રામ્ય વિસ્તાર માટે શ્રી રાઠોડ સોહમ એન., શ્રી સોલંકી ભાવેશ આર. અને શ્રી ગાંગાણી પાર્થ કે. રહેશે. 78- જામનગર ઉત્તર વિસ્તાર માટે શ્રી ડો.એસ.કે.પરમાર, શ્રી સુનિલ મહેશચંદ્ર શાહ અને શ્રી અજયકુમાર કે.સિંઘ રહેશે. 79- જામનગર દક્ષિણ વિસ્તાર માટે શ્રી જે.પી.આયરા, શ્રી વી.પી.ગજેરા અને શ્રી જે.એચ.ચાવડા રહેશે. 80- જામજોધપુર વિસ્તાર માટે શ્રી એન.પી.વિસાણી, શ્રી હમીર શાખરા અને શ્રી ચૌહાણ સુરેશ કે. ફરજમાં રહેશે.
લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 માટે નિર્ધારિત કરવામાં આવેલા સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં નિયુક્ત થયેલા સભ્યોની યાદી આ મુજબ છે. જેમાં 76- કાલાવડ વિસ્તાર માટે શ્રી એચ.પી.તૈરૈયા, શ્રી એસ.બી.બાવીશી અને શ્રી એલ.વી.મકવાણા રહેશે. 77- જામનગર ગ્રામ્ય વિસ્તાર માટે શ્રી સંજય જે.જાની, શ્રી ડો.દીપેશકુમાર ડી.આસોંદરિયા અને શ્રી ડો.સંજય એમ.ચોવટીયા રહેશે. 78- જામનગર ઉત્તર વિસ્તાર માટે શ્રી ગેલોત દિલીપ, શ્રી જોશી સૈરભ અને શ્રી રાયઠ્ઠા સમીર રમેશ રહેશે. 79- જામનગર દક્ષિણ વિસ્તાર માટે શ્રી એસ.પી.પરમાર, શ્રી એ.એ.ચાવડા અને શ્રી વી.આર.કણસાગરા રહેશે. 80- જામજોધપુર વિસ્તાર માટે શ્રી એ.આર.ગુપ્તા, શ્રી એ.ટી.પરમાર અને શ્રી વાળા ઋતુરાજસિંહ એમ. ફરજમાં રહેશે.
ઉપર્યુક્ત મુજબના કર્મચારીઓ અને અધિકારીઓએ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી તરીકેના અધિકારોનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહેશે. આ અધિકારોનો ગેરઉપયોગ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.કે.પંડ્યા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy