ભાવનગર,તા.24
ભાવનગર માં વૃદ્ધને ગાયે ઢીંક મારતા આ વૃદ્ધને માથાના ભાગે અને પાસળીમાં ગંભીર ઇંજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ભાવનગર શહેરમાં રમણીકભાઇ ડાયાભાઇ પરમાર કુંભારવાડા વિસ્તારમાં મીલની ચાલી પાસેથી પસાર થઇ રહ્યાં હતા તે સમયે અચાનક જ ધસી આવેલી ગાયે રમણભાઇને ઢીંક મારતા રમણભાઇને ગંભીર પ્રકારની ઇંજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્ત રમણભાઇને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમના ભત્રીજાએ જણાવ્યું હતું કે, રમણભાઇને માથાના ભાગે અને પાસળીમાં ઇંજાઓ પહોંચી હતી અને આજે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારમાં ઠેરઠેર ગાયના ઝુંટ બેઠેલા જોવા મળે છે અને તેના કારણે વારંવાર ગાય દ્વારા શિંગડે ચડાવવામાં આવતાં નાનીમોટી ઇંજાના બનાવો બનતા હોવા છતાં મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોર બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેના કારણે આ પ્રકારના નાનામોટા બનાવો શહેરમાં સતત બનતા રહે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy