સમગ્ર વિશ્વને અહિંસા પરમો ધર્મનો દિવ્ય સંદેશો આપનારા પરમ તારક 24માં તીર્થકર ભગવંત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણ મહોત્સવની ઉજવણી આગામી તા.21મીના રવિવારે થનાર છે. ત્યારે શ્રીમહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ રાજકોટના ઉપક્રમે તથા સ્વ.વિજયાબેન તથા સ્વ.માણેકચંદ ડાયાભાઈ શેઠ શેઠ ઉપાશ્રય તેમજ સ્વ.સરયુબેન ચંદ્રકાંતભાઈ શેઠ, શેઠ પૌષધ શાળા, મનહરપ્લોટ સ્થા.જૈન સંઘ સંચાલીત રાજકોટના સમસ્ત મહિલા મંડળોના બહેનો માટેની સ્તવન સ્પર્ધાનો ભકિત સભર કાર્યક્રમ આગામી તા.20મીના શનિવારે બપોરે 2.30 થી 5 સુધી શેઠ ઉપાશ્રય જૈન સંઘ, પ્રથમ માળે, 150 ફુટ રીંગ રોડ પ્રસંગ હોલ પાસે, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. સ્તવન સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મનું વિતરણ શેઠ ઉપાશ્રય જૈન સંઘ તથા મનહર પ્લોટ સ્થા.જૈન સંઘમાં થઈ રહ્યું છે. આવતીકાલ તા.18ના ફોર્મ ભરીને આપી દેવાનું રહેશે. સ્તવન સ્પર્ધામાં મહિલા મંડળના ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ પાંચ બહેનો જોડાઈ શકશે તેમ જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy