રાજકોટ, તા.26
ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા આગામી તા.30ને મંગળવારના રોજ સાંજે 4 થી 7 કલાક દરમ્યાન સંગીતમય સુંદરકાંડના પાઠનું હળવદ બ્રાહ્મણ બોર્ડીંગ એસ્ટ્રોન ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ પાઠનું વાંચન બહેનો દ્વારા કરવામાં આવશે તેમજ આ કાર્યક્રમ માત્ર બહેનો માટે જ આયોજિત કરેલ છે. જેમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી ભાવનાબેન જોષી, વૈશાલીબેન શુક્લ, હેમાની રાવલ, રાજ જાની, ધાત્રી ભટ્ટ, માલતીબેન જાની, દીપા ભટ્ટ, કવિતા જાની, રક્ષા જોષી, માલતી જાની અને બિંદુબેન દવે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
આ સાથે બ્રહ્મ સમાજના નવા મેમ્બર બનવા માંગતા હોય તો તે માટેના ફોર્મ પણ ભરી શકાશે. વધુ માહિતી માટે ભાવનાબેન જોષી-99092 00067 પર સંપર્ક કરવો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy