(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 18
ભગવાન શ્રી રામના જન્મ દિવસ અને પવિત્ર ચૈત્રી નવરાત્રિના નવમા નોરતે ચોટીલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સનાતન ધર્મ વિશે લોકોને વધુમાં વધુ જાણકારી અને ખાસ નાના નાના બાળકોમાં સનાતન ધર્મની સાચી સમજ આવે અને સંસ્કારોનું સિંચન થાય તેમજ બાળકો સંસ્કૃત ભાષા વિશે માહિતગાર થાય તેવા શુભ હેતુથી રામ નવમીના દિવસે ચોટીલા જુના સર્કિટ હાઉસ સામે આવેલ આસ્થા કોમ્પલેક્ષમાં ત્રીજા માળે "સનાતન ધર્મની પાઠશાળા" (બાળ સંસ્કાર કેન્દ્ર) ખુલ્લું મૂકવામાં આવ્યું.
આ કાર્યક્રમ દરબાર મહાવીરભાઈ ખાચરના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં શ્રી ચામુંડા માતાજી ડુંગર પરિવારના મનસુખગીરી ગોસાઈ તથા વસંતગીરી ગોસાઈ, ધારશી વીરજી જગ્યા મહંત ડો. શ્રી હરિપ્રસાદ નિમાવત, જલારામ મંદિરના દમજીકાકા, ચિન્મય સાધનાલયના મીરાબેન તથા ભોલાજી, કબીર આશ્રમ મહંત, ખોડીયાર આશ્રમ મહંત, આર. એસ. એસ.ના ગોધાણી તેમજ ચોટીલા નગર પાલિકા પ્રમુખ પતિ મુકેશભાઈ શાહ, ચોટીલા નગર પાલિકા ઉપપ્રમુખ કમલેશભાઈ પંડ્યા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ તથા ચોટીલા શહેરના સનાતની ભાઈઓ તથા બહેનોની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યા કરીને કરવામાં આવી.
આ તકે બાળ સંસ્કાર કેન્દ્ર વિશે વિસ્તૃત માહિતી નિવૃત્ત શિક્ષક તથા વિશ્વ હિન્દુ પરિષદના શ્રી ભરતસિંહ ડાભી દ્વારા આપવામાં આવી હતી તેમજ ચિન્મય સાધનાલયના શ્રી મીરાબેન દ્વારા સંસ્કૃત તેમજ સંસ્કારો વિશે માહિતી આપી આ કેન્દ્ર વ્યવસ્થિત અને સારું ચાલે તે માટે હાજર વાલીઓને પોતાના તથા આસપાસના બાળકોને આ કેન્દ્રમાં અભ્યાસ કરવા મોકલવા ટહેલ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ આચાર્યઍ કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તહેવારો નિમિત્તે ચોટીલા શહેરમાં નીકળતી શોભાયાત્રા ના રૂટ દરમિયાન અલગ અલગ મંડળો દ્વારા પાણી, સરબત, સોડા, નાસ્તો વગેરે વિતરણ કરવામ આવે છે આ બાબતની નોંધ લઇને આવા તમામ મંડળોનું હાજર મહેમાનોના હસ્તે ભગવાનની શ્રી રામ લલ્લાનો ફોટો અને શાલ ઓઢાડીને સન્માનીત કરવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy