રાજકોટ,તા.26
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ પ્રથમ રામ નવમી આવી હતી. ત્યારે રાજકોટ શહેરમાં વસતા સમગ્ર મોઢ વણિક જ્ઞાતીજનો માટે ઘણા વર્ષો બાદ, રાજકોટમાં રામ નવમીના "પારણા નાત જમણવાર" તેમજ ભકિત સંગીત સાથે "ભકિત સંધ્યા" નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં સમગ્ર જ્ઞાતી ઉતસાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
રામ નવમી પારણા ઉત્સવ પ્રસંગે મુખ્ય અતીથી વિષેશ પદે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મોઢવણીક જ્ઞાતી અગ્રણી મુકેશભાઈ દોશી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ધારૈયા, રમેશભાઈ જીવાણી, કિરીટભાઈ પટેલ, અરવિંદભાઈ શાહ, શૈલેશભાઈ શાહ, બીમલભાઈ કલ્યાણી, સુનિલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકોનું પુષ્પગુચ્છ અને કેશરી ખેસ અને સાલ ઓઢાડીને ઉષ્માભર્યુ સન્માન કરવામાં આવેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy