♦ માત્ર મારા કારણે પક્ષે પણ સહન કરવું પડયું : લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે ફરી પરસોતમભાઈએ ભુલ સ્વીકારી

માણસ માત્ર ભૂલને પાત્ર : ક્ષત્રિય સમાજને ફરી રૂપાલાના ‘મિચ્છામી દુકકડમ્’

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 08 May, 2024 | 11:08 AM
મારો ઈરાદો કયારેય ખરાબ ન હતો : માતૃશકિત મને માફ કરે : શાંતિપૂર્વક મતદાન બદલ સૌનો આભાર : લીડની ભવિષ્યવાણી કરવી નથી!
સાંજ સમાચાર

♦ 40 વર્ષના જાહેર જીવનમાં સૌથી પીડાદાયક સમય અનુભવ્યો 

રાજકોટ,તા.8

રાજકોટ લોકસભાની પુરા રાજયમાં કેન્દ્રમાં રહેલી ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે. ગત ચૂંટણી કરતા મતદાનમાં થોડો ઘટાડો થયો છે ત્યારે આજે સવારે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ મતદાન બાદ પણ વધુ એક વખત ક્ષત્રીય સમાજની માફી માગીને તેમનાથી મોટી ભુલ થયાનો સ્વીકાર કર્યો હતો. સાથે જ માણસ માત્ર ભુલને પાત્ર તેવું કહીને ‘મિચ્છામી દુકકડમ’ કહ્યું હતું.
 
આજે સવારે લોકસભા ભાજપના કાર્યાલય ખાતે પરસોતમભાઈ રૂપાલાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે મારા 40 વર્ષના જાહેર અને રાજકીય જીવનમાં આ સૌથી પીડાદાયક સમય હતો અને સૌથી કઠીન સમયમાંથી પસાર થયો છું. આવી સ્થિતિનો સામનો કયારેય કર્યો નથી.

મારા એક નિવેદનથી પુરી ચૂંટણીમાં વમળો સર્જાઈ ગયા હતા. મારા નિવેદનની ભુલના કારણે પક્ષને અને સાથીદારોને પણ સાંભળવાનો વખત આવ્યો હતો. મારા ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ માફી માંગી અને પુરી પાર્ટીએ ઘણું સહન કરવું પડયું છે.

તેમણે જણાવ્યું હતું કે, મારા નિવેદનો કાયમ પાર્ટી માટે એસેટ હતા. પરંતુ હું ઉમેદવાર બન્યો તે બાદ મારાથી ભુલ થયાનો એકરાર કરૂં છું. મારી ભુલના કારણે મેં વ્યકિતગત અને જાહેરમાં અનેક વખત માફી માંગી છે. ચૂંટણીમાં માફી માગવી તેનો બીજો અર્થ નિકળે તે પણ સ્વભાવિક છે. આજે હું ફરી નમ્રતા પૂર્વક ક્ષત્રિય સમાજની માતૃશકિતની પણ માફી માંગુ છું. વિકસીત ભારતમાં કાયમ ક્ષત્રિયોનું યોગદાન રહ્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ વિકાસમાં ભાગીદાર બનશે.

આ વિવાદ છતા ચૂંટણી શાંતિપૂર્ણ પુરી થઈ છે. 20 વર્ષથી સૌરાષ્ટ્રમાં પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે ભાઈચારાનું વાતાવરણ છે. આવી સામાજીક સમરસતા કાયમ રહેવી જોઈએ. ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસનો સંવાદથી ઉકેલ આવશે. સંપૂર્ણ શાંતિ બદલ પણ તેમણે સમાજનો આભાર માન્યો હતો. તેમનો ઉદ્દેશ વૈમનસ્ય ફેલાઈ તેવો કયારેય ન હતો. તેઓએ આજે મિચ્છામી દુકકડમ કહીને ક્ષત્રિય સમાજની ફરી માફી માંગી હતી. મારાથી બોલાઈ ગયું હતું. હવે સમાજ તેમને માફ કરે તેવી અપીલ છે.

લીડ અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું લીડની ભવિષ્યવાણીમાં માનતો નથી. મારે આવી કોઈ આગાહી કરવી નથી. નવા સ્ટાર પ્રચારકોની યાદીમાં મારૂ નામ છે. પક્ષ કહે ત્યારે અને કહે ત્યાં તેઓ પ્રચાર માટે જશે. આ રીતે આજે કેન્દ્રીય મંત્રીએ મતદાન બાદ પણ વધુ એક વખત દિલથી માફી માંગી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj