(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 16
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 21 વર્ષથી ચૈત્ર માસની નવરાત્રી દરમિયાન ચૈત્ર સુદ આઠમના દિવસે વાળંદ સમાજ જ્ઞાતિની વાડી ખાતે જય લીંબજ ભવાની મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવે છે જેમાં આજે આ કાર્યક્રમમાં હ્માત્મક હવન સવારે આઠ વાગ્યે શરૂ થયો છે અને પૂણાવતી સાંજના ચાર વાગ્યે તેમ જ મહાપ્રસાદ સાંજના છ વાગે ત્યારે હવનના મુખ્ય યજમાન પદે ધર્મેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ કઠવાડિયા તેમજ તેમના પત્ની ભારતીબેન ધર્મેન્દ્રભાઈ કઠવાડિયા અને સહપરિવારમાં હરિભાઈ ઘનશ્યામભાઈ ફોરમ બેન હરિભાઈ ઉમંગભાઇ ખોડીદાસ પરનારા અને ગોપીબેન ઉમંગભાઇ પનારા દ્વારા હવનનો લાભ લેવામાં આવ્યો છે જેમાં શાસ્ત્રી ભારતીય ધર્મેશકુમાર રાવળ દ્વારા હવન નો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
જ્યારે વાળંદ નદી સમાજ સુરેન્દ્રનગર દ્વારા ચૈત્ર સુદ સાતમના રાત્રીના એક શામ કપૂરી ઠાકોર કે નામ નું પણ ભવ્ય આયોજન હાથ ધરાયું હતું જેમાં બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા અને તેમના મરણોતોલ રત્ન એવોર્ડ પણ સરકાર દ્વારા એવોર્ડ થી સન્માનિત કરાયો છે ત્યારે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે વાળંદ નદી સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમ એક સામ કપુરી કે નામ કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
જ્યારે આ કાર્યક્રમમાં જયેશભાઈ ભેંજાળીયા હર્ષદભાઈ પરમાર હસમુખભાઈ મસાલા સવજીભાઈ બજાણીયા અલ્કેશભાઈ કડીવાળા મનુભાઈ લાંગણોજા સહિતના સમાજના આગેવાનો કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ અને હવનના મુખ્ય યજમાન ધર્મેન્દ્રભાઈ કઠવાડિયા યુવા વાળંદ જ્ઞાતિના પ્રમુખ છે ત્યારે તેમના કાર્યક્રમમાં મહેશભાઈ અડાલજા દિલીપભાઈ અડાલજા મુકેશભાઈ કારેલીયા કિશોરભાઈ કંબોયા તેમજ તેમના અન્ય સાથીદાર મિત્રો પણ ખાસ કરી અને ઉપસ્થિત રહેનાર છે ત્યારે છેલ્લા 21 વર્ષથી જય લીંબજ ભવાની મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy