રાજકોટ તા.19
પરસોતમ રૂપાલાનો વિવાદ હજુ શમ્યો નથી. હવે ક્ષત્રીય બહેનોએ આપેલ અલ્ટીમેટમ પુર્ણ થયેલ છે. આજરોજ કોંગ્રેસ અગ્રણી નયનાબા જાડેજાએ જણાવ્યું કે પરેશ ધાનાણી જવતલીયા ભાઈ થયા છે. જયારે આત્મવિલોપનની વાત કરી ત્યારે તેઓ જ પ્રથમ સામે આવ્યા હતા અને અમને આશ્ર્વાસન આપ્યુ હતું. આથી અમને તેમના પર પુરો વિશ્ર્વાસ છે.ક્ષત્રિય બહેનો પરેશ ધાનાણીને રાખડી બાંધી વિજય તિલક કરવામાં આવશે અને વિજય થવાના આશિર્વાદ આપશે. અનેક જગ્યાએ વિરોધ ચાલુ છે. કેટલાક ગામોમાં પ્રવેશ બંધ પણ કરવામાં આવ્યો છે. હજુ આંદોલન ઉગ્ર બનશે. આજરોજની મીટીંગમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને આગામી રણનીતિ ઘડવામાં આવશે પરંતુ એક વસ્તુ ચોકકસ છે કે વોટ તો હવે ભાજપ વિરુદ્ધ જ થશે.નયનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું કે અમારુ અલ્ટીમેટમ પુર્ણ થયુ છે. હવે ભાજપને વિરુદ્ધ મતદાનથી જવાબ આપીશું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy