નવી દિલ્હી, તા. 5
ભારતીય ક્રિકેટ ટીમ બીજી વખત ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે. રોહિત શર્માની બ્રિગેડ આ વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભારત આવી છે. ભારત આવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ સૌથી પહેલું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનું કર્યું હતું. પીએમએ તેમના નિવાસસ્થાને ટીમ ઈન્ડિયાની યજમાની કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન ટીમ ઈન્ડિયા અને વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો પડાવ્યો હતો.
જો કે આ સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદીએ ટ્રોફીને સ્પર્શ કર્યો ન હતો. તેણે માત્ર રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડનો હાથ પકડ્યો હતો. ટ્રોફી રોહિત અને રાહુલ પાસે હતી.
વડાપ્રધાને ટ્રોફીને સ્પર્શ કેમ ન કર્યો, આ છે કારણ
ટ્રોફી અને મેડલ વિશે એક વાત કહેવાય છે કે, ટ્રોફી અને મેડલને ફક્ત તે જ સ્પર્શે છે જેણે તે જીત્યા છે. એટલે કે, ટ્રોફી જીતનાર અને મેડલ જીતનાર ખેલાડીએ જ તેમને સ્પર્શ કરવો જોઈએ.
કદાચ આ જ કારણે પીએમએ ટ્રોફીને સ્પર્શ કર્યો ન હતો અને માત્ર રોહિત-રાહુલનો હાથ પકડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પીએમ મોદીને નમો નામની જર્સી પણ આપી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy