જામનગર તા.16:
જામનગર જિલ્લામાં વિહાર કરી રહેલા જૈનાચાર્ય અજીતયશસુરિજી મહારાજ સહિતના ગુરુજનો તાજેતરમાં જામનગર તાલુકાના અલીયાબાડા ગામના 80 વર્ષ જુના દૈન દેરાસર ખાતે પધારતા અલીયાબાડા અને જામનગર સ્થિત જૈન પરિવારોમાં ધર્મ મંગલ છવાયો હતો.
શહેરથી 17 કીલોમીટર દુર આવેલા અલીયા ગામમાં મુળનાયક આદિનાથ ભગવાનું જૈન દેરાસરજીમાં સાત પ્રતિમાઓજીના પ્રાણ પ્રતિષ્ઠા 80 વર્ષ પહેલા આચાર્ય રામચંદ્રસુરિજી મહારાજ દ્વારા કરાવવામાં આવી હતી. આ દેરાસર ખાતે મુળ હાલારના ગુંદા ગામના વતની પરિવારના આફ્રિકાના એડન સ્થાયી થયેલા વેપારી પરિવારમાં જન્મેલા અને માત્ર 9 વર્ષની વયે પાલિતાણાના શેત્રુંજય તિર્થ ખાતે દિક્ષા લેનારા જ્ઞાની આચાર્ય અજીતયશસુરિજી મહારાજ, આચાર્ય સંસ્કારશસુરિજી મહારાજ તથા સાધ્વીજીઓ તાજેતરમાં વિહાર કરતા ગત દિવસોમાં પધાર્યા હતા. અલીયા સંઘના સહુ આગેવાનોએ મહારાજ સાહેબનું સામૈયું કર્યું હતું.
ત્યાર બાદ અલીયા ગામના આદિનાથ જીનાલયમાં દર્શન કરીને મહારાજ સાહેબ પ્રભાવિત થયા હતા અને ભક્તિ ભાવના તથા જીવદયા વિષે વ્યાખ્યાન આપ્યું હતું. જામનગરથી વિહાર ગ્રુપના સભ્યો ગુરુ ભગવંતો સાથે પગપાળા અલીયા પહોંચ્યા હતા.અલીયા ગામના જૈનેતર લોકો પણ આચાર્યજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અલિયા સંઘના વિમલભાઈ, રાજુભાઈ, જીતુભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy