રાજકોટ, તા. 7
લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામના અધ્યક્ષ નરેશભાઇ પટેલે આજે સવારે પરિવાર સાથે મતદાનની ફરજ બજાવી હતી. સાથે જ આ વખતની ચૂંટણીમાં ઉભા થયેલા કેટલાક મુદ્દા અંગે તેમણે તટસ્થ અભિપ્રાય આપ્યો હતો.
નરેશભાઇ પટેલે કહ્યું હતું કે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં આજે મતપર્વ ઉજવાઇ રહ્યું છે. સૌ નાગરિકો પવિત્ર મત આપીને ફરજ બજાવે તે જરૂરી છે. રાજકોટમાં થોડા દિવસો પહેલા પત્રિકા વાયરલ થવા અંગેના મુદ્દા અંગે તેમને પ્રશ્ન કરવામાં આવતા જણાવ્યું હતું કે ચૂંટણીના દિવસોમાં પત્રિકા, ઓડિયો, વિડીયો વાયરલ થવા એ સ્વભાવિક વાત છે. આવું ચૂંટણીમાં બનતું રહે છે.
લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલધામ ખુબ મોટી અને જવાબદાર સંસ્થા છે. સંસ્થાનું નામ કયાંય જોડાવા દીધું નથી. સંસ્થાનું નામ કયાંય વચ્ચે આવે તેવું અમે થવા દેતા નથી.
ક્ષત્રિય સમાજના વિવાદ અંગે તેઓએ કહ્યું હતું કે આવા બનાવ રોકી દેવાયા હોત તો ગુજરાત માટે સારૂ રહેત. પરંતુ આવું બન્યું નથી. ચૂંટણીમાં અન્ય મુદ્દાઓ રાબેતા મુજબના જ લાગ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy