(ભરત ગોહેલ દ્વારા)
જામજોધપુર,તા.16
જામજોધપુર તાલુકાના વસંતપુર ગામે તા.17ને રામનવમીના દિવસે નવ નિર્મિત રામ મંદિર પંચકુડી મહાયજ્ઞ તેમજ સમસ્ત ગામ સમુહ ભોજન મહાપ્રસાદનો ભવ્યકાર્યક્રમ રાખેલ છે. જેમાં સવારે 7.30 વાગ્યે પંચકુડી મહાયજ્ઞનો પ્રારંભ થશે તેમજ 3 વાગ્યે બીડુ હોમાશે તેમજ બપોરે 12 વાગ્યે મહા આરતી તેમજ સાજે 6 વાગ્યે પટેલ સમાજ મુકામે મહાપ્રસાદ કાર્યક્રમ તેમજ રાત્રે 7 વાગ્યે રામ મંદિરે રાસ ગરબા યોજાશે તો આ ધાર્મિક ઉત્સવમાં સમસ્ત વસંતપુર ગામના તેમજ વસંતપુર ગામના બહાર ગામ રહેતા વસંતપુર વાસીઓને સહ પરિવાર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy