જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ ઉજવાશે: રવિવારે બેઠક

Local | Jamnagar | 19 April, 2024 | 03:17 PM
સાંજ સમાચાર

જામનગર તા.19

જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા બ્રાહ્મણોના આરાધ્યદેવ ભગવાનશ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા  યોજવામાં આવે છે.જેના આયોજન માટે  આગામી તા.21 એપ્રિલ ને રવિવારના રોજ યોજાશે.

જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર કચ્છ) ના જિલ્લા પ્રમુખ  પ્રફુલભાઈ વાસુની એક યાદીમાં જણાવવામાં આવે છે કે, આગામી તા.10/05/2024 ને શુક્રવારના રોજ બ્રાહ્મણોના આરાધ્યા દેવ શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ શોભાયાત્રા નિમિતે પ્રથમ મીટીંગનું આયોજન તા.21.4.24 ને રવિવારે રાત્રે 9.30 કલાકે શ્રીમાળી બ્રાહ્મણજ્ઞાતિની વાડી, પંચેશ્વર ટાવર રોડ,ખાતે રાખેલ છે.  જેમાં જામનગર જિલ્લા તથા શહેર બ્રહ્મસમાજના તમામ ઘટકો, પેટા જ્ઞાતિઓ તેમજ ભાઈઓ-બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુએ અનુરોધ કર્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj