(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26
મોરબીમાં દર વર્ષે પરશુરામ જયંતીની ધામધુમથી ઉજવણી વર્ષોથી કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ આખત્રીજના દિવસે મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવશે.
મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી જ્યદીપભાઈ મહેતા અને નયનભાઈ પંડ્યા સહિતની યુવાનોની ટિમ દ્વારા આગામી તા.10 મે ના રોજ પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવશે અને તે પહેલા એટ્લે કે તા 9 ના રોજ રાતે 9:00 કલાકે નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે રાસ ગરબાનું ભૂદેવો માટે આયોજન કરવામાં આવ્યું છે.
અખાત્રીજના દિવસે મોરબીના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતેથી શોભાયાત્રા બપોરે 4:00 કલાકે નીકળશે જે વાજતે ગાજતે મોરબીના માર્ગો ઉપર પસાર થઈને પરશુરામ ધામ ખાતે પહોંચશે અને ત્યાં પરશુરામ દાદાને છપ્પન ભોગ સાથે મહાઆરતી કરવામાં આવશે ત્યાર બાદ પ્રસાદ યોજાશે અને આગામી વર્ષ માટેની પરશુરામ યુવા ગ્રૂપની ટીમને જાહેર કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy