(લિતેશ ચંદારાણા દ્વારા)
વાંકાનેર તા.8
વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજના આરાધ્યદેવ પરશુરામ દાદાનો જન્મોત્સવ આગામી તા.10-5 ને શુક્રવારે (અક્ષય તૃતીયા)ના દીને સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાશે.
આ જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ તા.9ને ગુરૂવારના રોજ દરબારગઢ પાસે આવેલ ચત્રભુજરાયજી મંદિરના પટાંગણમાં સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ બ્રહ્મસમાજને મોરબી જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ કે. ઓઝા એ જણાવેલ છે.
તા.10ને શુક્રવારે સાંજે 4 કલાકે જીનપરા જકાતનાકેથી મહંત અશ્ર્વિનબાપુ રાવલ (ગાયત્રી શક્તિપીઠ) તથા રૂગનાથજી મંદિરના મહંત છબીલદાસ બાપુની અધ્યક્ષ સ્થાને ભવ્યતિભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થશે જે શહેરના રાજમાર્ગો, જીનપરા ચોક, રસાલા રોડ, મેઈન બજાર, ચાવડી ચોક, માર્કેટ ચોક, પ્રતાપચોક થઈ રામચોક ખાતે આવેલ ઔદીચ્ય બ્રહ્મસમાજની વાડી ખાતે સમાપન થશે ત્યાં ઉપસ્થિત દાદાના ભકતોને ધર્મસભાને સંતો-મહંતો આશિર્વચન સાથે સંબોધન કરશે.
શોભાયાત્રાના રૂટ પર ઠેર-ઠેર ઠંડા પીણાની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમ શોભાયાત્રા ઈન્ચાર્જ અમીતભાઈ ભટ્ટ, દુષ્યંતભાઈ ઠાકરે જણાવેલ છે.
આ શોભાયાત્રા રામચોક ખાતે બ્રહ્મસમાજની વાડી ખાતે સમાપન થયા બાદ સમસ્ત બ્રહ્મસમાજ માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો સમસ્ત બ્રહ્મસમાજને રાસ-ગરબા, શોભાયાત્રા તથા મહાપ્રસાદનો લાભ લઈ લેવા બ્રહ્મસમાજ વાંકાનેરના પ્રમુખ જયેશભાઈ ઓઝાએ જણાવેલ છે.
કાર્યક્રમને સફળ બનાવવા મહંત અશ્ર્વિનબાપુ રાવલ, અમીતભાઈ ભટ્ટ, રાજુભાઈ રાવલ, દુષ્યંતભાઈ ઠાકર, મોહનભાઈ ગામોટ, બાબુભાઈ રાજગોર, યોગેશભાઈ પંડ્યા, આકાશ ઓઝા તથા પવુભાઈ રાજગોર કમર કસી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy