જામખંભાળિયા,તા.8
ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીને દાયકાઓ પછી પણ તેમના વતન ખંભાળિયા પ્રત્યે આદર તેમજ લાગણી જળવાઈ રહી છે. તેઓ હજુ પણ જુના સંબંધોને યાદ કરી ખંભાળિયાવાસીઓ પ્રત્યે આદર તેમજ પ્રેમની લાગણી વ્યક્ત કરે છે.
ખંભાળિયાના જૂની પેઢીના પીઢ અને સેવાભાવી તબીબ ડો. એન.ડી. ચોકસીની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હોવાથી આ અંગે ગઈકાલે મંગળવારે અત્રે આવેલા પરિમલભાઈ નથવાણીને જાણ થતા તેઓ ખાસ તેમના નિવાસ્થાને ગયા હતા અને તેમની તબિયતના ખબર અંતર પૂછી, વહેલી તકે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy