મોરબીનાં લખધીરપુરમાં પરિણીતાએ આપઘાત કર્યો

Local | Morbi | 27 April, 2024 | 12:33 PM
પતિ સાથે બોલાચાલી થયા બાદ અંતિમ પગલુ ભર્યું
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી તા.27

મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતા રાહુલભાઈ બારૈયાના પત્ની રવિનાબેન બારૈયા (21)એ પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ રાહુલભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગેની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે ત્યારે તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક રવિનાબેનને તેના પતિ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ તેણે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે તેની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને પરિવારજનોના નિવેદન લેવા સહિતની કામગીરી હાલમાં ચાલી રહી છે.
 

મહિલા સારવારમાં
મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા મુક્તાબેન મગનભાઈ ખાણધર (53) નામના મહિલા મોરબીના મચ્છુ ડેમ નજીકથી રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે ત્યાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મુક્તાબેનને ઇજાઓ થઇ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીના સનાડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj