(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.9
મૂળ જામનગરના ધ્રોલના વતની અને હાલ મોરબીના વાંકાનેર હીઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીકના સીરામીક સીટી વિસ્તારમાં રહેતા ધવલભાઇ દિનેશભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ નામના 33 વર્ષના યુવાને પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યુ હતુ કે તેઓના પત્ની વંદનાબેન ધવલભાઈ પંડ્યા (ઉમર 29) વાળા ગત તા.4-5 ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જાઉં છુ તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં મોડે સુધી પરત ન આવતા ઘરમેળે તપાસ કરવામાં આવી હતી છતાં વંદનાબેનનો કોઈ અતોપતો લાગ્યો ન હતો.અંતે ગઈકાલે ધવલભાઇ દ્રારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલ છે.જેની આગળની તપાસ જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વૃદ્ધને ઇજા
મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા કરશનભાઈ વીરાભાઇ મકવાણા નામના 74 વર્ષના વૃદ્ધ મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રોડ ઉપર રેલ્વે ફાટક પાસેથી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લીધા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં કરશનભાઈ મકવાણાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા
સગીરા સારવારમાં
મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની દિવ્યાબેન અશોકભાઈ વરાણીયા નામની 16 વર્ષની સગીરા તેના ઘરે ફીનાઇલ પી ગઈ હતી.જેથી તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy