ન્યુયોર્ક,તા.4
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ બાર્બાડોસમાં ફસાયેલી ભારતીય ટીમને લઈને એર ઈન્ડિયાની ચાર્ટર્ડ ફ્લાઈટ અંગે એર ઈન્ડિયા પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વાસ્તવમાં એવા અહેવાલ સામે આવ્યા છે કે આ ફ્લાઈટ અમેરિકાના ન્યુ જર્સીના નેવાર્કથી દિલ્હી જવાની હતી, પરંતુ તેને બાર્બાડોસ મોકલવામાં આવી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આના કારણે નેવાર્ક એરપોર્ટ પર મુસાફરો પરેશાન થયા હતા. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ બેરીલ તોફાનને કારણે 3 દિવસ સુધી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી.
ટીમને એર ઈન્ડિયાની ’ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ (AIC24WC)’ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા પરત લાવવામાં આવી રહી છે. ટીમ ગુરુવારે સવારે 5 થી 6 વચ્ચે નવી દિલ્હી પહોંચશે.
આ અંગે એર ઈંડિયાના એક અધિકારીએ જાણકારી આપી હતી કે બોઈંગ 777 એરક્રાફ્ટને બાર્બાડોસ મોકલવાને કારણે મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો કરવો પડ્યો નથી. 2 જુલાઈના રોજ નેવાર્કથી દિલ્હી ફ્લાઇટ માટે ટિકિટ બુક કરાવનારા મોટાભાગના મુસાફરોને અગાઉથી જાણ કરવામાં આવી હતી.
અધિકારીએ કહ્યું કે, કેટલાક મુસાફરો કે જેમને ફ્લાઇટ કેન્સલેશન વિશે જાણ કરવામાં આવી ન હતી તેઓ એરપોર્ટ પર પહોંચ્યા અને તેમને રોડ માર્ગે ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા. તે મુસાફરોને ન્યૂયોર્કથી દિલ્હીની ફ્લાઈટમાં એડજસ્ટ કરવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy