વાંકાનેર ગાયત્રી શકિતપીઠ ખાતે તા.18/4/24ના રોજ 32મો પાટોત્સવનું ભવ્ય આયોજન ગાયત્રી પરિવારે કરેલ જેમાં યજ્ઞ અને મહાપ્રસાદ કરાવેલ. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પ્રજ્ઞેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઢોલરીયા ખાસ હાજરી આપી હતી. ભાવનાબેન ગોસ્વામીએ અને પ્રજ્ઞેશભાઈ ઘનશ્યામભાઈએ ગાયત્રી મંદિરની પ્રવૃતિની વિસ્તૃત માહિતી આપી હતી. તા.16થી 20 સુધી કથાકાર અશ્ર્વિનભાઈ જોશી મા-બાપને ભૂલશો નહીં સુપ્રસિધ્ધ વકતાની શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન છે. રાત્રીના નવ વાગ્યાથી 12 વાગ્યા સુધી સતત પાંચ દિવસ સુધી કથા ચાલશે અને તા.18ના રોજ ગાયત્રી મંદિરનો પાટોત્સવ ઉજવાયેલ તેમાં ગાયત્રી પરિવારના સ્વજનો અન્ય ભકતજનોને આ પાટોત્સવમાં અને કથામાં પધારવા ભાવભયુર્ં આમંત્રણ ગાયત્રી મંદિરના મહંત અશ્ર્વિનભાઈ રાવલે પાઠવેલ છે. (તસ્વીર: લીતેશ ચંદારાણા-વાંકાનેર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy