જામ ખંભાળિયા, તા. 08
ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે ગુરુવાર તારીખ 9 ના રોજ વૈશાખ સુદ એકમ નિમિત્તે શ્રી દ્વારકાધીશજી પ્રભુનો પાંચમો મંગલ પાટોત્સવ યોજવામાં આવ્યો છે.
જેમાં સવારે મંગલાના દર્શન બાદ 9:15 વાગ્યે પલના (શૃંગાર), 12:30 વાગ્યે તિલકના દર્શન તેમજ સાંજે 6 વાગ્યે એલચીની મંડલીના દર્શનનું આયોજન કરાયું છે. આ પાટોત્સવ દર્શનનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.
(ફોટો:- કુંજન રાડિયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy