(સમીર વિરાણી) બગસરા,તા.17
પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ પીએસઆઇ ડાંગર ના અધ્યક્ષ અને ફોન દ્વારા જાણ કરી આગેવાનો તથા પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં 11 નો ટાઈમ આપ્યો હતો અમુક આગેવાનો પત્રકારો 11 ને 12 મિનિટ પહોંચતા શાંતિ સમિતિની મીટીંગ પૂર્ણ થઈ ગઈ તેમ કહી અને ખુરશીઓ ઉપાડી લેવામાં આવી હતી અને આગેવાનો પત્રકારો ડેલે હાથ દઈને આવ્યા તેવું લાગ્યું આવું જ જો કરવાનું હોય તો આગેવાનો ને ફોન કરી પોતાનો કિંમતી સમય બગાડવા માટે આ મિટિંગમાં શું કામ બોલાવવા જોઈએ પીએસઆઇ પૂછતા તેમણે કહ્યું કે મારે બહાર જવાનું છે એટલા માટે તાત્કાલિક પૂર્ણ કરેલ તો પછી આ શાંતિ સમિતિ મીટીંગ નું શું મહત્વ તેઓ વેદક સવાલ બગસરાના આગેવાનો અને પત્રકારો કરી રહ્યા છે. જો કોઈ આગેવાનો અને પત્રકારો મિટિંગના અધ્યક્ષ સ્થાને મિટિંગ લેવામાં આવે તેની સાથે વાત કરવા માટે સમય ન હોય તો આ મીટીંગ નો અર્થ શું? અને આગેવાનોને બોલાવવાનો અર્થ શું તેવું આગેવાનોની લોક મુખ્ય ચર્ચા રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy