(ભોલુ રાઠોડ દ્રારા), ઉપલેટા તા. 18 ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા તાલુકા મામલતદારને આવેદન અપાયું હતું. દ્વારા રાજકોટમાં બનેલા બનાવવામાં યુવકનું મોત થયા હોવાની બાબત સામે આવી હતી ત્યારે આ બાબતના વિરોધમાં ન્યાયિક કાર્યવાહી કરવા અને જવાબદારોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂત્રોચાર કરી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. માંગ કરવામાં આવી છે. આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગત તા.16-4ના રોજ રાજકોટ ખાતેના માલવીયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતના કારણ વગર અનુસૂચિત જાતિના યુવાન હમીર રાઠોડને બેહદ માર મારવામાં આવેલ અને જયાં સુધી મોત ન નિપજયું ત્યાં સુધીનો અનહદ માર મારવામાં આવેલ આ રીતે પોલીસ પ્રસાશન દ્વારા યુવાનની કરપીણ હત્યા કરેલ આ હત્યાને લઈને અમો સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર/તાલુકા આ બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢે છે. આ બનાવમાં પોલીસે લોકોનું રક્ષણ કરવાને બદલે પોતે ભક્ષક બની માલવીયા પોલીસ સ્ટેશનના અધિકારી તથા તેમની સાથે રહેલા પોલીસ આ હત્યારાઓની નિસ્પક્ષ તપાસ થાય અને ન્યાયીક તપાસ કરવામાં આવે તેમજ તાત્કાલીક અસરથી હત્યારાઓની ધરપકડ કરી તેઓની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવે તેવી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર/તાલુકા તરફથી માંગણી છે આ તકે બાલુભાઈ વિંઝુડા, એડવોકેટ બી.ડી. મેકમહુ, જિકાભાઈ મકવાણા, સોમજીભાઈ મકવાણા, પુંજભાઈ સોલંકી, પરબતભાઈ ચાવડા તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો અને અગ્રણીઓ જોડાય હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy