રાજકોટ, તા.26
યુનિવર્સિટી ગ્રાંટ કમિશન દ્વારા નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત અમલ કરાવેલ મલ્ટીડીસીપ્લીનરી રિસર્ચની જોગવાઇ અનુસાર સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચડી પ્રવેશ આપવા માંગણી ઉઠાવી આ અંગે તત્કાલ પગલા લેવા યુવા અગ્રણી ડો. પરેશ રબારીએ યુનિ.ના કુલપતિ નીલામ્બરી દવેને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી છે.
આ બાબતે ડો. પરેશ રબારીએ જણાવ્યું છે કે નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ આખા દેશમાં થયેલ છે. જેમાં તેનો મુખ્ય હાર્દ મલ્ટીડિસીપ્લીનરી રિસર્ચ છે. વિશ્વના વિકસિત દેશોમાં આ રીતે રિસર્ચ પ્રણાલી હોવાથી ખૂબ આગળ છે. જે અનુસંધાને એનઇપી-2020માં મલ્ટીડિપ્લીનરી રિસર્ચ કરાવવા માટે યુનિ.ઓને કહેલું છે.
સરળ ભાષામાં કહીએ તો આ નિયમો મુજબ સંસ્કૃતમાં પણ પીએચડી કરી શકશે. કોઇ એન્જીનીયરીંગમાં માસ્ટર કરેલું હોય પણ તેઓ ઇતિહાસમાં રસ ધરાવતા હોય તો તેઓ ઇતિહાસ વિષયમાં પીએચડી સંશોધન કરી શકે. આમાં વિશ્વના અનેક દેશોની માફક આપણા દેશમાં પણ રિસર્ચનું પ્રમાણ વધે તે ઉદેશ્ય છે.
દેશની તમામ એનઇપી આઇઆઇએમ, આઇઆઇ સેન્ટ્રલ યુનિ.ઓમાં પણ મલ્ટીડીસીપ્લીનરી રિસર્ચ માટે કોઇપણ વિષયમાં માસ્ટર ડીગ્રી હોય અન્ય વિષયોની પ્રવેશ પરીક્ષામાં પ્રવેશ મેળવી પીએચડી સંશોધન કરી શકે છે.
સરકારશ્રી દ્વારા જ્યારે વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખી રિસર્ચ વધારવા માટે આટલા પ્રયત્ન કરેલા હોય ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.માં પણ મલ્ટીડિસીપ્લીનરી પીએચડી રિસર્ચ માટે નવા નિયમો બનાવવામાં આવે જેથી આગામી નેકમાં ગ્રેડિંગમાં રિસર્ચ બેઝડ સ્કોરમાં સૌરાષ્ટ્ર યુનિ.નું પ્રદર્શન ઉત્કૃષ્ટ બનાવી શકાય તેમ ડો. પરેશ રબારીએ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy