રાજકોટ, તા.9
પીઠડીયા ટોલનાકા પર કાર પાછળ લેવાં મામલે વિરપુરના યુવક પર ટોલનાકાના કર્મી ગીર સોમનાથના નિલેશ નામના શખ્સે હુમલો કર્યો હતો. બનાવ અંગે વિરપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે વિરપુરમાં સતીમા રોડ પર રહેતાં હર્ષિલભાઇ સુરેશભાઈ ડોબરીયા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિલેશ (રહે. ગીર સોમનાથ) નું નામ આપતાં વીરપુર પોલીસે આઇપીસી કલમ 323,504,506, (2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે ગઇ તા.07/05/2024 ના ધોરાજીની હોટલમાં તેની પત્ની, બહેન સહિત પાંચ લોકો ડીનર માટે ગયેલ હતા. તેઓ ધોરાજીથી ડીનર કરી પરત આવતા ત્યારે આશરે સાડા દશેક વાગ્યે પીઠડીયા ટોલનાકા પાસે તેમની કાર લઈને આવતા ગાડીમાં ફાસ્ટટેગમાં રીચાર્જ ન હોય જેથી ટોલનાકા વાળા ભાઇએ કહેલ કે, તમે મને 100 રૂપીયા ભરી દો અને ગાડી આગળ ઉભી રાખો.
જેથી તેમને કહેલ કે, મારે રીચાર્જ છે તેમાંથી કાપી લો અને તાત્કાલિક જ ગુગલ પે થી રીચાર્જ કરેલ હતું. જેથી ટોલનાકા વાળા ભાઇએ કહેલ કે, તમે અડધી કલાક ઉભા રહો પછી તમારા ફાસ્ટેગમાંથી રૂપીયા કપાશે તું અડધી કલાક ઉભો રહે જેથી તેઓએ ગાડીનો દરવાજો ખોલેલ અને ગાડી પાછળ ચાર ફોર વ્હીલ ઉભેલ હતી. તે ભાઈ રીવર્સ લેવડાવતા હોય અને દરમ્યાન બીજા ભાઈ તેમની પાસે આવેલ અને કોલર પકડી બહાર ખેચેલ જેથી તેમને કહેલ કે, તમે કોણ છો મારો કોલર કેમ પકડી શકો.
જેથી તે શખ્સે કહેલ કે, હું નીલેષ ગીર સોમનાથ વાળો છુ, કહી ગાળો આપી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. દરમિયાન તેઓની પત્ની ગાડીમાંથી બહાર નીકળતા ધક્કા મુક્કીમાં તેને પણ ઇજા પહોંચી હતી. બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતાં આરોપીએ કહેલ કે, આ વખતે આ બધા આવી ગયા એટલે તું બચી ગયેલ છો હવે ફરીવાર ટોલનાકે આવીશ એટલે તને લાકડીથી માર મારીને પતાવી દેવો છે તેમ કહી નાસી છૂટ્યો હતો.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી પીઠડીયા ટોલનાકાનો કર્મી છે અને તે અચાનક જ ઘસી આવી ઝઘડો કરી મારામારી કરવાં લાગ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી વિરપુર પોલોસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy