પોરબંદર બેઠકના ભાજપનાં ઉમેદવાર મનસુખભાઈ માંડવીયાએ વાજતે-ગાજતે ઉમેદવારી ફોર્મ ભયુર્ં

Local | Porbandar | 16 April, 2024 | 12:12 PM
આજે જુનાગઢ બેઠકના ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા ફોર્મ ભરશે
સાંજ સમાચાર

જુનાગઢ તા.16
 

સામાન્ય લોકસભા તેમજ વિધાનસભાની પેટા ચુંટણીના ઉમેદવારો પોત પોતાના મુખ્ય પક્ષાએ ઉમેદવારો જાહેર કરી દીધા છે. ગઈકાલે માણાવદર-વંથલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સતાવાર રીતે પોતાના ઉમેદવાર તરીકે મુળ વડા (માણાવદર)ના રહીશ હાલ રાજકોટ ક્રિષ્ના પાર્ક ક્રિષ્ના હોટલ ધરાવતા પટેલ હરીભાઈ ગોવિંદભાઈ કણસાગરા ઉપર પસંદગી ઉતારી છે તેઓ એક ખેડુત પુત્ર છે વડા ગામે ખેતી કર્યા બાદ રાજકોટ સ્થાયી થયા હતા જયાં ક્રિષ્ના હોટલ, ક્રિષ્ના વોટર પાર્ક સહિતના વિવિધ ધંધાઓ સાથે સંક્ળાયેલા છે. કડવા પાટીદાર સમાજમાં સારૂ એવું નામ ધરાવે છે.

તેમની સામે મુળ કોંગ્રેસી અને કોંગ્રેસમાંથી જ ધારાસભ્ય તરીકે ચુંટાયેલા અરવિંદ લાડાણી માણાવદરના કોડવાવ ગામના છે. તેઓ પહેલેથી જ પ્રખર કોંગ્રેસી હતા પરંતુ તાજેતરમાં કોંગીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાય ગયા છે. અને ભાજપે પક્ષપલ્ટો કરીને આવેલ અરવિંદ લાડાણીને ટીકીટ આપી છે. અરવિંદ લાડાણી સામે મુળ કોંગ્રેસી જવાહર ચાવડા પણ કોંગીને છોડીને ભાજપમાં આવેલ અને મંત્રી પદ હાંસલ કયુર્ં હતું. પરંતુ ગત વિધાનસભામાં કોંગીના અરવિંદ લાડાણી સામે કારમી હાર થઈ હતી. હાલ તેઓ ભાજપના કોઈ કાર્યક્રમોમાં અલીપ્ત જોવા મળી રહે છે. તે ઘણુ સુચવી જાય છે.

 આજે પોરબંદરની બેઠક ઉપર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા ભાજપમાંથી તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરશે તેઓ મુળ ભાવનગર વિસ્તારના હોય પરંતુ ટીકીટ ભાજપે રૂલીંગ સાંસદ રમેશભાઈ ધડુકની ટીકીટ કાપી મનસુખભાઈને મેદાને ઉતાર્યા છે, રમેશભાઈ ધડુક પવિત્ર કર્મનિષ્ઠ ધાર્મિક સાથે સતત લોકોની વચ્ચે રહેતા પ્રથમ સાંસદ આ વિસ્તારને મળવા પામ્યા હતા પરંતુ તેમના કામને પક્ષે ધ્યાને ન લઈ તેમની પ્રમાણીકતા ન જોઈ કેન્દ્રીય મંત્રીને પોરબંદરની સીટ ઉપર ઉતાર્યા છે.

તેઓ આજે સાંસદ રમેશભાઈ ધડુક પોરબંદર જીલ્લા ભાજપ, પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ) જીલ્લા પંચાયત પોરબંદર પ્રમુખ પરબતભાઈ સહિતના ટેકેદારો હજારો કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે.  જુનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું નામ પ્રથમ યાદીમાં જાહેર ન કરતા અનેક નામોની અટકળ થઈ હતી. વેરાવળ ડો.ના આપઘાત પ્રકરણમાં તેઓનું અને પરિવારનું નામ ઉછળ્યું હતું. બાદ ભાજપે ત્રીજી વખત રાજેશભાઈ ચુડાસમા ઉપર કળશ ઢોળ્યો છે જેઓ આવતીકાલે તા.16ને મંગળવારના તેમના ટેકેદારો સાથે વિધીવત ફોર્મ જુનાગઢ ખાતે ભરશે તેમની સામે આહીર આગેવાન સેવાભાવી ગરીબોના બેલી હીરાભાઈ જોટવાને ટીકીટ ફાળવવામાં આવી છે. તા.18ના રોજ જુનાગઢમાં સભા સંબોધીને ફોર્મ ભરવા 12.39 મીનીટે કલેકટર કચેરીએ શુભ મુહૂર્તે પહોંચશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj