રાજકોટ,તા.16
આજરોજ લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ઉમેદારી ફોર્મ ભરશે. ત્યારે સવારે જાગનાથ ખાતે માઈ મંદિરના દર્શન કર્યા હતા. પરષોત્તમ રૂપાલાએ જાગનાથ માઈ મંદિરના દર્શન કરી પદયાત્રા શરૂ કરી હતી.આ તકે તેઓ સાથે ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અને તેઓનો ઉત્સાહ વધાયો હતો.ત્યારબાદ પરષોત્તમ રૂપાલાએ જાગનાથની બહુમાણી ચોક સુધી પદયાત્રા રેલી યોજી હતી. રસ્તાઓ પર લોકોનું અભિવાદન મળ્યુ હતું. અને બહુમાળી ચોકએ પહોચ્યા હતા જયાં સભા સંબોધી હતી.આજે ફોર્મ ભરતા પહેલા પરષોત્તમ રૂપાલાની બહુમાણી ચોક ખાતે સભાનું આયોજન કર્યુ હતું.
સભા પૂર્ણ થયા બાદ વિજય મુર્હૂતમાં ફોર્મ ભર્યુ હતું.આ શકિત પ્રદર્શનમાં બહોળો લોક પ્રતિસાદ મળ્યો હતો. બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.
આ ઉપરાંત ભાજપના અગ્રણીઓ પણ શકિત પ્રદર્શનમાં જોડાયા હતા. રસ્તાઓ પર મહિલા ભાજપ અગ્રણી ઓ ગરબા રમ્યા હતાં. અને અનેક આકર્ષણો ગોઠવવામાં આવ્યા હતાંં. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યુ હતુ.ત્યારે ચુંસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy